Arvachintana Suryodayna Chhadidar Alexander Kinloch Forbes (Jeevan Ane Karya)
અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર - દીપક મહેતા (એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ : જીવન અને કાર્ય) ગુજરાતને આધુનિક સંસ્કૃતિના માર્ગે દોરનાર પ્રથમ પથદર્શક એવા એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતની સંસ્કૃતિના અનેકવિધ ક્ષેત્રમાં નવપ્રસ્થાનનો પ્રકાશ પાથર્યો,એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી (આજની ગુજરાત વિદ્યાસભા) ની સ્થાપના કરી.આ સંસ્થાએ ગુજરાતને વહેમ,અજ્ઞાન અને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરીને શિક્ષણ,સાહિત્ય અને વિજ્ઞાનના પ્રસારનું મુલ્યવાન કાર્ય કર્યું
અર્વાચીન ગુજરાતી ભાષા માટે અત્યંત અમૂલ્ય યોગદાન આપનાર અને ગુજરાતી ભાષા માટે અનેક કાર્યોની સૌપ્રથમ પહેલ કરનાર એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસના મૃત્યુને ૩૧ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ૧૫૦ વર્ષ થયાં. આ પ્રસંગે એમના ગુજરાતી ભાષા પ્રત્યેના યોગદાનને યોગ્ય અંજલી આપવા સાહિત્યિક સંશોધક શ્રી.દીપક મહેતાએ ફાર્બસ અંગે રસપ્રદ પુસ્તક તૈયાર કર્યું છે - "અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર - એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ: જીવન અને કાર્ય" - ગુજરાતી ભાષાપ્રેમીઓને આ પુસ્તક જરૂરથી ગમશે.