Astitva No Utsav Ishavasyam
અસ્તિત્વનો ઉત્સવ - ગુણવંત શાહ
ઈશાવાસ્યમ્
(ઈશાવાસ્ય ઉપનિષદનું અભિનવ ભાષ્ય )
(A critique on Ishavasya Upnishad)
હિમાલયના ઘણાં ઉત્તુંગ શિખરો અને પવિત્ર યાત્રાધામો વચ્ચે ગોમુખ-ગંગોત્રી પ્રથમ સ્થાન લઇ જાય છે, એવું જ ભારતીય ચિંતનના ગગનભેદી શિખરો સમાં ઉપનિષદોમાં ઈશાવાસ્ય ઉપનિષદનું સ્થાન છે. ઉપનિષદના યુગ પછી અઢાર પુરાણો તથા રામાયણ -મહાભારત જેવાં મહાકાવ્યો દ્વારા જે કર્મ, જ્ઞાન અને ભક્તિની ધારાઓ વહેતી થઇ તેનું મૂળ પ્રેરણાબિંદુ આ અઢાર મંત્રોના નાનકડા ઉપનિષદમાંથી મળે છે.