Bhagat Singhna Chuntela Bhashano ane Lakhano By D N Gupta
ભગતસિંહ ચૂંટેલા ભાષણો અને લખાણો - ડી એન ગુપ્તા
ભગતસિંહ એક મહાન દેશભક્ત અને ક્રાંતિકારી હતા.તેઓ એક ઉચ્ચકોટિના વિદ્વાન પણ હતા.સમાજમાં પરિવર્તન લાવવા માટે તેમની પાસે એક ચોક્કસ વિચારધારા અને તે અમલમાં મુકવા માટેનો દ્રષ્ટિકોણ હતો.માત્ર 23 વર્ષની યુવાન ઉંમરે શહીદ થયેલા આ મહાન દેશભક્તનાં છેલ્લા બે વર્ષ જેલમાં પસાર થયાં હતા.જેલમાં વાંચેલા થોકબંધ પુસ્તકોમાંથી તેમણે જે નોંધો કરી હતી તેમાંથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.