Bhay (Gujarati Translation of Fear Understanding and Accepting The Insecurities of Life) by Osho ભય આ બે બાબતો યાદ રાખો : ભય નો સામનો બે રીતે કરવામાં આવે છે. લોકો કાં તો પોતાના ભયનું દમન કરે છે. અને બહાદુરી કે હિમત જેવું કાઈ લડવાનો પ્રયત્ન કરે છે - જે ખોટો સાબિત થાય છે કારણ કે ભીતર ઉડાણમાં તો ભય પડેલો જ હોય છે - અથવા લોકો એટલા બધા ભયભીત થઇ જાય છે કે તેઓ જડ થઇ જાય છે,ત્યારે ભય વાંધાજનક બની જાય છે.બન્નેમાં તમે ભયભીત રહો છો.સાચો રસ્તો તેનો સ્વીકાર કરવાનો છે કે જેથી તેનું દમન કરવાની જરૂર ન રહે. તેની પ્રકૃતિનો સ્વીકાર કરો - તે સહેજ છે, એમ જ થાય. તેની હકીકતને સ્વીકારો, અને છતા આગળ વધો.તેની પાસેથી પસાર થઇ જાઓ. તેનું દમન ન કરો અને તેને લીધે અટકો પણ નહિ. તેને બદલે ચાલતા રહો,અલબત ,ધ્રુજારી લાગે કારણ કે ભીતર ભય છે.પણ ચાલતા રહો.ધ્રુજારી હોય તે છતાં એ અગાધ ઉડાણમાં આગળ વધતા રહો.