MAHAN SUFI SANTO પોતાના અહંકારને ગાળનારી સંતસાધનાના બે પ્રવાહો આપણને જોવા મળે છે. એક છે સોહમ (હું તે જ છું, હું પરમાત્માનો જ અંશ છું) એમ માનનારા સંતો અને બીજા નાહમ્ (હું કશું જ નથી, હું છું જ નહીં, માત્ર તે જ છે અને એમાં મારું અસ્તિત્વ ઓગળી ગયું છે) એમ માનનારા રહસ્યવાદી મર્મી સૂફી સાધકો. આ ભેદ પણ આપણી અલ્પ મતીના અલ્પ દૃષ્ટિના ભેદ છે. અમુક કક્ષાએ પહોંચેલા મર્મીઓને મન કોઈ જ ભેદ નથી. આવા અનેક માર્ગના ૬૩ જેટલા મહાન સૂફી સંતપુરુષો અને યોગીસાધકો વિશે આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગો તથા તેમની સહજસાધના સાથે વણાયેલ બોધ વચનોનું સંકલન કરવાનો પ્રયાસ થયો છે. આદરણીયશ્રી રેવતુભાએ વિવિધ ભાષાઓમાં પ્રકાશિત સૂફી સાહિત્ય અને સાધના અંગેના સંદર્ભ ગ્રંથો તપાસીને તેમાંથી અત્યંત પ્રમાણભૂત એવી સામગ્રી ગુજરાતી ભાષામાં ઉતારી છે તે બદલ સંતસાહિત્યના એક અદના સંશોધક તરીકે ભાવવંદના કરીને આ ગ્રંથની બીજી આવૃત્તિને આવકારું છું.