Rudra Ek Nava Yugni Sharuat (Navalkatha) By Jignesh Ahir
રુદ્ર:એક નવા યુગની શરૂઆત (નવલકથા)
જીજ્ઞેશ આહીર
“એક અનાથથી ઈશ્વર બન્યાની વાત“
યુગ…?? આ કોઇ નવા યુગની જ વાત થઇ રહી છે.આમ તો જાણકારીમાં ચાર જ યુગ છે…. સત્તયુગ, દ્રાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ.પણ અહિયાં વાત છે રુદ્રયુગની.આ નવલકથાનો નાયક રુદ્ર અંનતરાય ચૌહાણ, આ નવા આવનાર યુગનો પ્રણેતા છે.અને આ રુદ્ર ચૌહાણ કોણ છે?તો રુદ્ર ચૌહાણ એક વિચાર છે.એ વિચારને એક ચોક્કસ રૂપ આપ્યો છે.
આ યુગમાં એક એવા માણસનો જન્મ થાય છે, જેની વિચારસરણી બધાથી અલગ છે, તેને કઇંક મોટા બદલાવ લાવવા છે, પણ પૈસા અને સત્તા સિવાય બીજા કોઈ સામે માથું ન નમાવનાર આ કાળામાથાના માનવીની સાનને આ રુદ્ર કેવી રીતે ઠેકાણે લાવે છે, આ તેની વાર્તા છે...!!
આ નવા યુગમા રાજ્યોના જાતીવાદી અને ભાષાવાદી મર્યાદિત વિચારધારા રુદ્ર દુર કરશે.ધર્મોને મધ્યમા રાખી જનતાની ભાવના સાથે રમી રહેલા નેતા, ધર્મગુરુઓ અને વિક્રુત લિડરોને પાઠ ભણાવશે.ભારતમાં ગરીબ તો બહુ દુરની વાત છે પણ કોઇ ભીખારી પણ નહી હોય. 17 વર્ષથી નાની વયનો કોઇ યુવાન કે યુવતી ભણવા સિવાય બીજી કોઇ પ્રવ્રુતી નહી કરતા હોય.આ જ દેશમાં વિશ્વની મહાન યુનિવર્સીટીઓની સ્થાપના થશે.કોઇ હિંદુ કે મુસ્લિમ વચ્ચે ઝઘડા નહી હોય. નક્સલવાદ ભુતકાળ બની ગયો હશે.મધ્યભારત સમ્રુધ્ધીની બુંલદીઓને ચુંમતું હશે. અને જમ્મુ કાશ્મિર મા કોઇ મિલેટ્રી પહેરાની જરૂર નહિ હોય કારણકે ત્યા કોઇ અલગતાવાદી નહી હોય.દેશના તમામ જાતી પર આધારિત સંધોની જરૂર નહી હોય.કોઇ વૃધ્ધ મા-બાપ સડકો ઉપર ભીખ નહી માંગતા હોય.ભષ્ટ્રાચારને ભારતના DNAમાથી જ કાઢીને ફેંકી દેવાયો હશે.
|