Sagarpankhi
સાગરપંખી - મીરા ભટ્ટ
Richard Bach's 'Jonathan Livingston Seagull ' નો સારાનુવાદ
જોનાથન એક નાનકડું સાગર પંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી કાંઇક જુદું પડે છે. જયારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊચાંઈઓ આંબવા, આ સાગર પંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પર, દૂર- ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર !
આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે ફફડ્યા જ કરે છે. એને જીવનની તમામ ઊચાંઈઓ, તમામ ગહરાઈઓ અને અસીમ વિસ્તાર પણ ઓછો પડે છે. ઊચાંઈ, ઊંડાણ અને વ્યાપ્ક્તાઓના ત્રણેય પરિમાણને પેલે પારના તત્વને આત્મસાત કરવા મથવું એ જ એની જિંદગીનો પરમ પ્રાણ છે.