Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shree Shiv Mahapuran
Ved Vyas
Author Ved Vyas
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9788177903287
No. Of Pages 780
Edition 2021
Format Hardbound
Language Gujarati
Price रु 600.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
4026_shrishiv.Jpeg 4026_shrishiv.Jpeg 4026_shrishiv.Jpeg
 

Description

Shree Shiv Mahapuran (Gujarati Book)
 
 
મહર્ષિ  વેદ વ્યાસ રચિત 
 
 
શ્રી શિવ મહાપુરાણ 
 
 
પ્રસિદ્ધ પુરાણ ગ્રંથની આધ્યાત્મિક આવૃત્તિ  (ભાગ 1-2 સાથે )
 
(સંપૂર્ણ સરળ સર્વોપયોગી સંજીવની ટિકાવાળું સચિત્ર સંસ્કરણ)
 
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે.
 
કહત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન બિબેક
 
આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. 
 
શ્રી શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ શ્રી વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્‍યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવાકે,
 
» સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
» ભક્તિ કેવી રીતે મળે ? 
» શું કરવાથી વિવેક વધે ? 
» જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ? 
» પરમાત્‍મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ? 
» પરમાત્‍મા કોણ છે ? પરમાત્‍માને કેવી રીતે મેળવી શકાય ? 
 
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00