Vishnu Sahastranaam
વિષ્ણુસહસ્ત્રનામ-ઈશા-કુન્દનિકા
મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. ભીષ્મ પિતામહ બાણ-શય્યા પંર સૂતા છે. આ ઘોર સંહારથી અતિ ઉદ્વિગ્ન, શોકગ્રસ્ત એવા યુધીષ્ઠીર ભીષ્મ પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે: જગતમાં ઉત્તમ દેવ કોણ છે? ઉત્તમ અશ્રયરૂપ શું છે? કોની સ્તુતિ કરનારા લોકો કલ્યાણ પામે છે? કયો ધર્મ ઉત્તમ છે? કોનો જપ કરવાથી સંસારના બંધનમાંથી છૂટે છે? યુધીષ્ઠીરના આ પ્રશ્નોના ઉત્તરમાં ભીષ્મ પાપના ભયને હરનાર વિષ્ણુના સહસ્ત્ર નામ સંભળાવે છે. તે જ છે આ વિષ્ણુસહસ્ત્રનામ, જેનો ભારતમાં હજારો લોકો અત્યંત શ્રદ્ધા અને ભાવથી નિયમિત પાઠ કરે છે. એક રીતે એને જપસ્તોત્ર કહી શકાય, જેની દ્વારા ભાગવત-તત્વની અનુભૂતિ કરવાનું લક્ષ્ય છે.