Bilkul Saral Chhe Satya (Gujarati Translation of The Dhammapad The Way of The Buddha Vol 4) By Osho
બિલકુલ સરળ છે સત્ય -ધ ધમ્મપદ (અંગ્રેજી પ્રવચનો ભાગ -4)
-ઓશો
Originaly Published in English under the Title -The Dhammapad: The Way of the Buddha Vol.4-Bilkul Saral Chhe Satya
બુદ્ધના ધમ્મપદના સુત્રો પર ઓશોએ આપેલા મનનીય અને યુગપત પ્રવચનોની શ્રેણીનું આ ચોથું પુસ્તક છે.
"બિલકુલ સરળ છે સત્ય" કહીને ઓશો આપણને ચોકાવે છે, અવિશ્વાસ પેદા કરે છે કારણકે આપણી માન્યતા તદ્દન ભિન્ન છે.આપણે હમેશા સત્યને આધારે જટિલ અને ન પહોંચી શકાય તેવું દુર માનતા આવ્યા છીએ પણ આ પુસ્તક વાંચ્યા પછી આપણને વિકાસની,જીવનની અને સત્યને પામવાની અને પામી શકવાની શક્યતા સહજ લાગશે,
સરળ સત્યની આડે આવે છે મનુષ્યનું મનોવિજ્ઞાન
વધુ ને વધુ આનંદ અને સત્યની ઓળખ આપતુ નઝરાણું :
૮-૮ પત્નિ બદલ્યા પછી પણ સુખી ન થઈ શકતો માણસ પણ પોતાના દુઃખ માટે પત્નિઓને દોષ દેતો હોય છે!!
'બિલકુલ સરળ છે સત્ય'' એ પુસ્તક બુદ્ધના આપેલ ધમ્મપદ પરના પ્રવચનો ઉપર ઓશોએ આપેલ પ્રવચનોની શૃંખલાનું ૪થું પુસ્તક છે.
''સત્ય સરળ છે'' એવા બુદ્ધ અને ઓશોના દાવા ઉપર આપણી સામાન્ય સમજને અવિશ્વાસ કરવાની ઈચ્છા થાય, કારણ આપણો જીંદગીનો અને સત્યનો અનુભવ તેમના વિધાન કરતા સદંતર વિપરીત છે. આપણે તો સત્યને - જીંદગીને જયાં પણ જોઈ છે ત્યાં અઘરી, તકલીફજનક અને દુઃખદાયક જોઈ છે. સત્યની જગ્યાએ જયાં જોયુ છે ત્યાં માત્ર જૂઠુ જોયુ છે, કપટ જોયુ છે. તો બુદ્ધ અને ઓશો કયા સત્યની વાત કરે છે? કોઈક અલૌકિક સત્યની વાત કરતા હશે તેવું લાગે. પરમ અવસ્થા પામ્યા પછી સત્યની સફર સરળ બનતી હશે તેવું લાગે. પરંતુ તેઓ બિલકુલ સ્પષ્ટ છે. જયાં છો ત્યાંથી જ સત્ય સરળ છે તેવુ તે કહે છે અને તે પણ ''બિલકુલ સરળ છે સત્ય'' એમ કહે છે.
વધુ આનંદ અને સત્યની ઓળખ આપને પુસ્તક વાંચીને થશે. આપને આ પુસ્તક વાંચવું અચુક ગમશે.
|