Draupadi: Swayamne Shodhva Nikleli Strini Katha By Kajal Oza Vaidya
દ્રૌપદી
કાજલ ઓઝા - વૈધ
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા....
ભારતીય સાહિત્યનુ સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત....
સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી.
પહેલ પાડેલાં હીરાની જેમ પાસાદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત 'યાજ્ઞસેની ' હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીના ઋજુ સંવેદનો હમેશા એની અંદર જીવ્યા હશે, ક્યારેક સળવળ્યા હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી! વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે.
પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઉતરવું જ પડે છે.
એક સ્ત્રીના લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસ નહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ ,સંવેદનશીલ નારીની આ કથા છે.
|