Suvarna Mudrao (Gujarati Translation of Gold Nuggets) By Osho
સુવર્ણ મુદ્રાઓ - ઓશો
બૌધ્ધિકતાની સાથે નિર્દોષતા હોવી એ અત્યંત સુંદર સંભાવના છે.પરંતુ બૌધ્ધિકતા જો નિર્દોષતાનો છેદ ઉડાડતી હોય,તો પછી ત્યાં લુચ્ચાઈ સિવાય બીજું કાંઈ રહેતું નથી;પછી એને બૌધ્ધિકતા ન કહી શકાય.
જે ક્ષણે નિર્દોષતા લુપ્ત થાય છે,તે જ ક્ષણે બૌધ્ધિકતાના પ્રાણનો નાશ થાય છે,અને ખાલી ખોખું રહી જાય છે.પછી સાધારણ રીતે એને હોંશિયારી નામ આપી દેવું વધુ સારું.એ તમને મહાન પંડિત બનાવશે,પરંતુ તમારું જીવન પરિવર્તન નહીં કરી શકે અને એ તમને રહસ્યમય અસ્તિત્વના દ્વાર ખોલવા માટેના અધિકારી પણ નહીં બનાવી શકે.બુદ્ધિશાળી વ્યક્તિ પણ શિશુ જેવો નિર્દોષ હોવો જોઈએ.