Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Gitadarshan:Vishadyog Sankhyayog (Part 2)
Osho
Author Osho
Publisher Upnishad Charitable Trust
ISBN 9789382282006
No. Of Pages 250
Edition 2012
Format Paperback
Language Gujarati
Price रु 160.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635195358350597573.jpg 635195358350597573.jpg 635195358350597573.jpg
 

Description

Gitadarshan:Vishadyog Sankhyayog (Part 2)

 

ગીતાદર્શન : વિષાદયોગ -સાંખ્યયોગ :2
 

ઓશો
 

(હિન્દી ગીતાદર્શન અધ્યાય 1-2 નો ઉત્તરાર્ધ)
 

ગીતા અદ્દભુત છે કારણ કૃષ્ણ દ્વારા કહેવાઈ છે અને તે પણ કોઈ સભામંડપમાં પોતાની ફૂરસદે આવેલા શ્રોતાગણોને નહિ પણ વિકરાળ યુધ્ધના મેદાન પર યુદ્ધ લડવા માટે અવઢવમાં પડેલા મહારથી, મહાયોદ્ધા અર્જુનને ! ગુરુ તરીકે કોઈ વાત કહેવી કદાચ સહેલી છે, પણ સખા તરીકે, મિત્ર તરીકે, સારથી તરીકે અર્જુનને આવડી મોટી, ગહન અને મનોવૈજ્ઞાનિક ગીતા કહેવી દુષ્કર છે, કઠીન છે . છતાય કૃષ્ણે અર્જુનને ગીતા કહી . માત્ર અર્જુનને લડવા માટે પ્રોત્સાહિત કરીને ઉદ્દેશ્ય પૂરો કરવાના ઈરાદાથી નહિ, પણ જીવનના મૂળભૂત તથ્યો અને સત્યોમાં ઉપર ઉઠે તે રીતે, તેના એક એક સવાલોના જવાબો આપીને .
 

ગીતાનો પ્રારંભ વિષાદ - યોગથી થાય છે .વિષાદ જાગે તો કૃષ્ણથી ગીતા સાંભળવા મળે . પરંતુ તે વિષાદ મર્મમાંથી જાગવો જોઈએ . જો તે વિષાદ ઉપર છલ્લો જ હોય તો તેનાથી કોઈ પરિણામ નીકળતું નથી .અર્જુનનો વિષાદ મર્મમાંથી જાગ્યો છે . યુધ્ધ્ભુમિ પર જ યુદ્ધની નિરર્થકતા સમજાય છે . કુરુક્ષેત્રમાં સામ-સામે સેના સજ્જ હોય, ત્યારે અચાનક શસ્ત્ર નીચે મૂકીને, 'હવે હું યુદ્ધ લડીશ નહીં' એવા શબ્દો કૃષ્ણ જેવા સાથીને કહેવાવાળામાં ખૂબ હિંમત હોવાનું જરૂરી છે .
 

કૃષ્ણ કહે છે, તારે લડવું જોઈએ, પરંતુ અર્જુન તેનો સ્વીકાર કરી લેતો નથી। કૃષ્ણ જેવા સાથી-સારથી, ગુરુ જયારે મળી જાય તો પછી પ્રશ્ન કેવો, એવું ઘણાંને લાગે છે . અર્જુનને કૃષ્ણના મહિમાનો પરિચય છે, કૃષ્ણ મૂઠી ઊંચેરા માનવી છે , એ વાત અર્જુન જાણે છે . પરંતુ મનની શંકાને પ્રકટ કરવામાં તેને કોઈ સંકોચ નથી . તે પ્રશ્ન પૂછ્યા કરે છે અને તેનાથી ગીતાના સાતસો શ્લોકની રચના થાય છે 
 

ઓશો આ કૃષ્ણત્વને પામી ચૂક્યા છે .આ બ્રહ્મવિદ્યા તેઓના માટે કોઈ પ્રયાસથી પ્રાપ્ત કરવાની સિદ્ધિ નથી . સહજ રીતે જ તેઓમાં તે પ્રગટ થઇ છે .1970 ની 29 નવેમ્બરની સવારે તેઓ અમદાવાદમાં સૌથી  પહેલાં ગીતા-જ્ઞાન-યજ્ઞનો પ્રારંભ કર્યો . તે પછીના પાંચ વર્ષોમાં તેઓએ આ વિષય પર બસ્સો વીસ પ્રવચનો કર્યા .આ બધામાંથી સાડા છ હાજર પૃષ્ટોમાં વિસ્તારિત 'ગીતા-દર્શન' પ્રાપ્ત થાય છે .
 

ઓશો દ્વારા ગીતાદર્શન પર અન્ય પુસ્તકો માટે અહીં ક્લિક કરો

Gitadarshan:Vishad Yog-Sankhya Yog (Part 1)

Gitadarshan:Vishadyog Sankhyayog    (Part 2)

Gitadarshan:Karma Yoga                     (Part 3)

Subjects

You may also like
  • Bhakti
    Price: रु 120.00
  • Antsfurna (Intuition Knowing Beyond Logic)
    Price: रु 150.00
  • Samjan Shunyata
    Price: रु 190.00
  • Yog Abhyaas
    Price: रु 140.00
  • Dharma-Mahavir Vani No Anuvaad
    Price: रु 140.00
  • Yog Marg
    Price: रु 140.00
  • Naari
    Price: रु 120.00
  • Aatmiyata (Intimacy)
    Price: रु 120.00
  • Paripakvta (Maturity)
    Price: रु 130.00
  • Mukti (Freedom)
    Price: रु 130.00
  • Hridaysutra
    Price: रु 200.00
  • Dhyan Sutra
    Price: रु 120.00