Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mahakavi Premanand Rachit Sudamacharitra
Kavi Premanand
Author Kavi Premanand
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9789351622277
No. Of Pages 152
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635940488170188780.jpg 635940488170188780.jpg 635940488170188780.jpg
 

Description

Mahakavi Premanand Rachit: Sudamacharitra

 

કવિ પ્રેમાનંદ કૃત સુદામાચરિત્ર  (નરસિંહ કૃત 'સુદામાચરિત્ર'ની વાચના સાથે)

 
સંપાદક: ઈશ્વરલાલ દવે, ચિમનલાલ ત્રિવેદી 
 
 
'સુદામાચરીત' , 'મામેરું' અને 'નળાખ્યાન' આ ત્રણેય આખ્યાનો એમની કવિતાનાં ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત 'ઓખાહરણ' 'ચંદ્રહાસ આખ્યાન', 'રણયગ્ન', 'અભિમન્યુ આખ્યાન', 'દશમસ્કંધ' , 'હૂંડી', 'સુધન્વાખ્યાન', 'મદાલસા આખ્યાન' વગેરે આખ્યાનો નોંધપાત્ર છે.
 
ગુજરાતી સમાજ અને સ્વભાવનું આબેહૂબ અને આકર્ષક આલેખન કરનાર પ્રેમાનંદની કવિતામાં સૌથી વધુ ગુજરાતીપણું જોવા મળે છે. પુરાણો સમા પવિત્ર ગણાંતા વ્રત-તહેવારો અને વિશેષ અવસરે ગવાતાં તેમનાં આખ્યાનોમાં શ્રેય અને પ્રેયનો અપુર્વ સંગંમ જોવા મળે છે. સાહત્યિક ગુણવત્તા અને વિપુલતાની દ્રષ્ટિએ પ્રેમાંનદ આપણાં મહાન કવિ છે. આજે પણ એમનાં આખ્યાનો વાર્તારસ સાથે કાવ્યાનંદ આપી, ધર્મરસ સાથે સંસારરસ આપી શિક્ષિતો-અશિક્ષિતો અને અબાલવૃદ્ધ સહુને આકર્ષી રહ્યા છે.
 
તેઓ ધારે ત્યારે શ્રોતાજનોને હસાવતાં, ધારે ત્યારે રડાવતાં અને ધારે ત્યારે શાંતિરસના ઘરમાં લઈ જઈ બેસાડતાં. એમની ખુબી એ હતી કે, એમને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી ન હતી અને એ એવી સ્વાભાવિક રીતે કરતાં કે લેશમાત્ર પણ રસભંગ થતો નહીં. વિશાળપટમાં ફરી વળતી પરલક્ષી કવિતાનાં આ સ્વામી મધ્યકાલીનનાં આપણાં કવિશિરોમણિ છે જ અને સમસ્ત ગુજરાતી સાહિત્ય એમનાં થકી ધન્ય બન્યું છે.
 
એમનાં કેટલાંક આખ્યાન ગુજરાતી સાહિત્યનાં ખજાનાનાં અમૂલ્ય રત્ન સમાન છે. પ્રેમનંદની કૃતિઓ લહિયાઓના હાથે લગભગ બસો વર્ષ દરમ્યાન લખાયેલી છે. સામાન્ય રીતે દરેક કૃતિઓ સાથે પ્રાચિન હસ્તપ્રતનાં મુળપાઠ તરીકે સ્વીકારાયાં છે.
 
પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં. આખ્યાન તો કથનની કળા છે. પ્રેમાનંદ કથનકળામાં પ્રવિણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરુપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતાં. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરુપણ શક્તિનો મહ્ત્ત્વનો ફાળો હતો. તેમનાં સમયનાં મુઘલરાજા અને ગુજરાત પ્રદેશનાં શાસક ઔરંગઝેબ તેમને "મહાકવિ પ્રેમાનંદ" કહીને બોલાવતા.
 
સ્તોત્ર:વિકિપીડિયા 

Subjects

You may also like
  • Rasdhaar Ni Vartao
    Price: रु 180.00
  • Kutch Kaladhaar (Part 1 and 2)
    Price: रु 750.00
  • Gurjar Sahityano Zarukho
    Price: रु 225.00
  • Saraswatichandra Part 1
    Price: रु 150.00
  • Duha-Chhandni Saurabh
    Price: रु 150.00
  • Prarambhik Gujarati Vyakaran
    Price: रु 135.00
  • Madhyakalin Arvachin Sahityaswarupo
    Price: रु 275.00
  • Mahakavi Premanand Rachit Kunvarbainu Mameru
    Price: रु 120.00
  • Mahakavi Premanand Rachit Nalakhyan
    Price: रु 150.00
  • Rai No Parvat (Adarsh)
    Price: रु 120.00
  • Madhyakalin Gujarati Sahityano Itihas
    Price: रु 175.00
  • Gujarati Bhashanu Vyakaran
    Price: रु 260.00