Maro Tya Sudhi Jivo – Gunvant Shah
તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલા આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલી : 'ભગવન્ ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.--ગુણવંત શાહ