Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Tamrashashan
Madhusudan Dhanki
Author Madhusudan Dhanki
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9788184806410
No. Of Pages 162
Edition 2011
Format Hardbound
Language Gujarati
Price रु 130.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6407_tamrashashan.Jpeg 6407_tamrashashan.Jpeg 6407_tamrashashan.Jpeg
 

Description

Tamrashashan By Madhusudan Dhanki

 

તામ્રશાસન
 
મધૂસુદન ઢાંકી
 
શક્ય છે નામ અજાણ્યું લાગે, પણ ફક્ત ગુજરાતી સાહિત્ય જ નહીં, સમગ્ર હિન્દુસ્તાનના મહાન માણસોની યાદી આ ગુજરાતી વિના અધૂરી છે. વર્તમાન ગુજરાતની અસ્મિતા જો કોઈ પણ વસ્તુને કહેવી હોય તો અમદાવાદસ્થિત ૮૮ વર્ષીય પ્રખર વિદ્વાન મધૂસુદન ઢાંકી. એમનું ઇતિહાસ સંશોધન, જૂનાં મંદિરો સંલગ્ન જે યોગદાન છે એ ફક્ત જુવો તો આંખો ચારમાંથી આઠ થઈ જાય. ગુજરાતમાં સાવ ઓછી, ભારતમાં ઠીકઠીક અને ફોરેનમાં વધુ ઓળખ ધરાવતા આ પદ્મભૂષણનો વાર્તાસંગ્રહ 'તામ્રશાસન' બધાં કામ પડતાં મૂકીને મેળવો અને વાંચો. (એમ ઇઝીલી નહીં મળે.) અઘરું ગુજરાતી કોને કહેવાય. વાર્તા માટે કેટલું બધું રિસર્ચ જરૂરી હોય અને શ્રેષ્ઠ કક્ષાની વાર્તા કોને કહેવાય એ આ, કોઈ પણ વિશ્વસાહિત્યની આલા દરજ્જાની વાર્તાઓને ટક્કર આપી શકે એવી વાર્તાઓ અને એમાંય ખાસ તો 'તામ્રશાસન'. વીસ પાનાં કરતાં ટૂંકી, પણ તમારો સમય ન થંભાવી દે અને તમારી આંખો સામું લાઇવ મૂવિ ચાલુ ન કરી દે તો કહેજો. ઢાંકી સાહેબની વિદ્વત્તા વિષે એક લેખ તો શું એક પુસ્તક પણ ઓછું પડે. એ વયોવૃદ્ધ વ્યક્તિનું પ્રદાન બને એટલું જલદી વાંચો.
 
લેખક વિશે :
 
ગુજરાતી સાહિત્ય અને ગુજરાતની અસ્મિતા માટે આજીવન કાર્ય કરનાર રણજિતરામ મહેતાની પ્રેરણાથી અને એમની સ્મૃતિમાં રણજિતરામ સુવર્ણચંદ્રક નોંધપાત્ર સાહિત્યકારોને અપાય છે. રણજિતરામ સ્વયં એક ભાવના હતા. ઝવેરચંદ મેઘાણીથી શરૂ થઇ પ્રતિવર્ષ અપાતા આ ચંદ્રકના આ વખતના સાહિત્યકાર છે, મધુસૂદન ઢાંકી જેઓ પદ્મભૂષણ પણ છે. તેમને કુમાર ચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર અને ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. ઢાંકી સાહેબનું પ્રદાન મુખ્યત્વે ભારતીય દેવાલય સ્થાપત્યના ક્ષેત્રે છે. દેવાલય સ્થાપત્યમાં અનોખું પ્રદાન પોરબંદરના આ રહીશનો મૂળ જીવ સંશોધનનો, વળી નિષ્ઠા અને ચીવટ તેમજ ચોકસાઇ તો તેમનાં જ! જૂનાં સ્થાપત્યો ઉપરાંત વણ નોંધાયેલા સ્થાપત્યો પણ તેમણે શોધેલા. ગુજરાતનાં સોલંકી યુગના મંદિરોના સ્થાપત્ય અંગે લખેલું તેમની ઝીણવટભરી દ્રષ્ટિ અને નિરીક્ષણ શક્તિનો નિચોડ તેમના સર્જનમાં દેખાય છે. મારું ગુર્જર દેવાલય ઉપરાંત અનેક શિલ્પ સ્થાપત્યો એમણે હૃદયમાં સમાવ્યાં અને પછી ગ્રંથસ્થ કર્યા. વિશ્વકોશને આંગણે નવાજયા દેશભરમાં ભ્રમણ કરી લોકકલાઓ વિશે પણ લખ્યું. તેઓ પુરાતત્વવિદ્ છે.
 
અભિમન્યુ મોદી
 

Subjects

You may also like
  • Koi Prem Kare Koi Pooja (Gujarati)
    Price: रु 190.00
  • Tan Tulsi Man Mogro
    Price: रु 180.00
  • Eni Sugandh No Dariyo
    Price: रु 150.00
  • Tame j Tamaru Ajvaalu (Gujarati Translation of The Old Man & His God)
    Price: रु 125.00
  • Sambhaarna Ni Safar (Gujarati Translation of How I Taught My Grandmother To Read and Other Stories)
    Price: रु 175.00
  • Man ni Vaat (Gujarati Translation of Wise and Otherwise)
    Price: रु 200.00
  • Rannma Khilyu Gulab (Part 1 )
    Price: रु 235.00
  • Rannma Khilyu Gulab (Part 2)
    Price: रु 300.00
  • Sambandh To Aakash !
    Price: रु 150.00
  • Katha Sarita Mahesh Yagnik Ni 35 Vaartao
    Price: रु 340.00
  • Doctor Ni Diary-2
    Price: रु 280.00
  • Doctor Ni Diary-3
    Price: रु 290.00