Bhagya Par Nahi Parishram Par Vishwas Karo
ભાગ્ય પર નહીં પરિશ્રમ પર વિશ્વાસ કરો
ડો. રમેશ પોખરિયાલ “નિશંક”
પરિશ્રમના માધ્યમથી સઘળી મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરતાં શીખવતું પ્રેરણા આપતું સૌથી વધુ વેચાતું પુસ્તક
ભાગ્યના કર્મ સિંધ્ધાંત અનુસાર આપણું જીવન એવું જ બને છે જેવું આપણે કર્મ કરીએ છીએ. ભાગ્ય એટલે કે પૂર્વ જન્મના સંચિત કર્મ માનીને જે લોકો સખત મહેનત નથી કરતાં એમને ઇચ્છિત સફળતા અને લક્ષ્ય પ્રાપ્ત નથી થતા.જો ભગવાન રમે વનવાસકાળમાં રાવણ દ્વારા સીતાજીના અપહરણને પોતાનું નસીબ માની લીધું હોત અને સો માઇલ દૂર લંકા સુધી જવાનું અશક્ય માની લીધું હોત તો તે કયારેય પણ મૃત્યુ અને ગ્રહ નક્ષત્રોને કાબુમાં કરવાવાળા મહાપ્રતાપી રાવણનો નાશ ન કરી શક્ય હોત. બધાં ધર્મમાં, બધાં દેશોમાં અને દરેક સંસ્કૃતિના ઇતિહાસમાં એટલા અગણિત ઉદાહરણ મળે છે જેનાથી એ સિદ્ધ થાય છે કે નસીબ પર નહીં મહેનત પર વિશ્વાસ કરનારને જ ઈશ્વર મદદ કરે છે.
ભાગ્યને બધાં માને છે અને કર્મનો મહિમાનો સ્વીકાર પણ બધાં કરે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ અસફળતાનો દોષ ભાગ્ય પર ઢોળી દઈએ છીએ અને એને દુર્ભાગ્ય કહીને સ્વીકાર કરી લઈએ છીએ, પરંતુ અધ્યાપક અને સાહિત્યકારથી રાજનીતિજ્ઞ બનીને જનસેવામાં લાગેલા આ પુસ્તકના લેખકે ખુબ જ તાર્કિક ઢંગથી એ સિદ્ધ કર્યું છે કે જયારે પણ કોઈએ અથાગ પરિશ્રમ કર્યો છે, દુર્ભાગ્ય એનું કશું નથી બગાડી શક્યું .
અત્યંત સરળ અને રોચક શૈલીમાં લખવામાં આવેલી આ બેમિસાલ પુસ્તકને વાંચીને તમે તમારા જીવનમાં એક નવી આશા અને ખુદમાં એક નવો આત્મવિશ્વાસ પ્રવાહિત થતો અનુભવ કરશો . તમને તમારા દરેક લક્ષ્ય સહજતાથી સિદ્ધ થતા નજરે પડશે