Law of Attraction (Gujarati Translation)
By: Michael Losier
આકર્ષણનો સિધ્ધાંત
માઈકલ જે. લોસિઅર
રજૂઆત : રાજીવ ભલાણી
વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક ‘ Law of Attraction’ નો અધિકૃત અનુવાદ
તમારે જે જોઈએ તેને આકર્ષવાનું વિજ્ઞાન
તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો, હવે એનો સાચો ચમત્કાર જુઓ.
તમને કદાચ ખ્યાલ નહી હોય, પરંતુ એક જબરજસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે.એ છે આકર્ષણનો સિધ્ધાંત અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકોને,કામને સંજોગોને અને સબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જો કે આમાંનું ઘણું સારું ન પણ હોઈ શકે ! જો તમારા જીવનમાં કરુણ ઘટનાઓ બન્યા જ કરતી હોય તો આ પુસ્તક વાંચવાનો આ શ્રેષ્ઠ સમય છે.
આ પુસ્તક તમને શીખવશે કે આકર્ષણના સિદ્ધાંતને કેવી રીતે વાપરવો જેથી તમે જિંદગીમાં જે નથી જોઈતું તેને દુર કરી શકો અને એવી વસ્તુ આકર્ષી શકો જે તમને સુખ.શક્તિ અને સમૃદ્ધિ આપે .
જુઓ, નીચેની બાબતો માટે આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો કેટલો સરળ છે.!
-
તમારે જે નથી જોઈતું તેને તમારી તરફ આકર્ષવાનું બંધ કરવા માટે
-
તમારી જિંદગીમાં સમૃદ્ધિ અને સંપતિ વધારવા માટે
-
તમારા માટે આદર્શ જીવનસાથી અને આદર્શ સંબંધોને આકર્ષવા માટે
-
તમારા વ્યવસાય અને ગ્રાહકો વાદહ્રવા માટે
-
તમારી આદર્શ કારકિર્દીના ઘડતર માટે
‘કેટલાક પુસ્તકો તમારી જિંદગીબદલી નાખે તેવાં હોય છે. આકર્ષણનો સિધ્ધાંત એમાંનું એક પુસ્તક છે. જયારે તમે સમજશો કે આકર્ષણનો સિધ્ધાંત કેવી રીતે કામ કરે છે અને ખરેખર જોશો કે તકો,પ્રેરણા,ધન અને લોકોનો પ્રવાહ તમારી જિંદગીમાં શરૂ થઇ ચુક્યો છે ત્યારે તમે બધાને આ પુસ્તક વિષે કહેતા ફરશો.’ - કેરોલ એડ્રીનો
આપણા વિચારોમાં એવી ચુંબકીય શક્તિ છે કે જેવું વિચારીએ છીએ તેવી ઘટનાઓ બનતી હોય છે. કેવળ સમસ્યાઓનો વિચાર કરી આપણે પોતે જ અડચણો ઊભી કરીએ છીએ. માટે કંઇ પણ પામવા માટે તે વિશેના પોઝિટિવ વિચારો જરૂર બની જાય છે.
ભૂતકાળ કે વર્તમાન જેવો પણ હોય, ભવિષ્યમાં શું પામવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્વપ્નોની કોઇ સીમા નથી. આપણે પોતે એમને મર્યાદિત રાખીએ છીએ. શું જોઇએ છે તે વિશે સ્પષ્ટતા જરૂરી છે. જો ધ્યેય સ્પષ્ટ નહીં હોય તો આકર્ષણનો નિયમ લાગુ નહીં પડે.
સારા વિચારો સારું પરિણામ આપે છે. કોઇએ આપણી સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય છતાંય એને માફ કરી દેશો તો હકારાત્મક ઊર્જા પેદા થશે જે આકર્ષણના નિયમ માટે જરૂરી છે. સારા કર્મોથી આકર્ષણનો નિયમ વધારે સક્રિય બને છે.
‘ધ સિક્રેટ’ પુસ્તકમાં આકર્ષણના નિયમનું વિશ્લેષણ કરાયું હતું અને એ પુસ્તકને અદભૂત સફળતા મળી હતી. આ નિયમનો જીવનમાં કેવી રીતે અમલ કરવો તે વિષય છે. બ્રેન્ડા બાનેબીના પુસ્તક ‘બિયોન્ડ ધ લો ઓફ એટ્રેકશન’નો. લગભગ પાંચ હજાર વર્ષ જુના આ નિયમ પર આજે ઘણાં પુસ્તકો લખાય છે. આપણા વિચારોમાં એવી ચુંબકીય શક્તિ છે કે જેવું વિચારીએ છીએ તેવી ઘટનાઓ બનતી હોય છે. કેવળ સમસ્યાઓનો વિચાર કરી આપણે પોતે જ અડચણો ઊભી કરીએ છીએ. માટે કંઇ પણ પામવા માટે તે વિશેના પોઝિટિવ વિચારો જરૂર બની જાય છે.
ભૂતકાળ કે વર્તમાન જેવો પણ હોય, ભવિષ્યમાં શું પામવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્વપ્નોની કોઇ સીમા નથી. આપણે પોતે એમને મર્યાદિત રાખીએ છીએ. શું જોઇએ છે તે વિશે સ્પષ્ટતા જરૂરી છે. જો ધ્યેય સ્પષ્ટ નહીં હોય તો આકર્ષણનો નિયમ લાગુ નહીં પડે. સ્વપ્નમાં વિશ્વાસનું પણ એટલું જ મહત્વ છે. અહીં શંકાને કોઇ સ્થાન નથી. શંકાઓ નેગેટિવ વિચારો આપે છે જે આ નિયમના વિરોધી છે.
જો ધ્યેય બહુ મોટો હોય તો એનું વિભાજન કરી નાની ઇચ્છાઓ પૂર્ણ કરવાની કોશિશ કરો. આ દરેક પ્રયાસમાં નેગેટિવ વિચારો બાધારૂપ બને છે માટે હંમેશાં પોઝિટિવ રહો. પોતાના જીવન પર જો કાબૂ નહીં મેળવો તો બીજાઓ તમારા પર કાબૂ મેળવી તમારા જીવનને એમની રીતે નિયંત્રિત કરશે. જે પ્રવૃત્તિમાં તમને રસ નથી તેમાં સફળતાની સંભાવના ઓછી છે.
પોઝિટિવ વિચારોની આદત કેળવવી પડે છે. શરૂઆતમાં નકારાત્મક વિચારો આવશે પણ એમને મગજમાંથી કાઢી ફરી પોઝિટિવ થઇ જવું પડે છે. થોડી પ્રેક્ટિસ બાદ મન પર આવો કાબૂ મેળવી શકાય છે. લેખિકા આવી આવડત કેળવવા માટે યોગ અને ધ્યાન (મેડિટેશન)ની ભારતીય પરંપરાનો આગ્રહ રાખે છે. પ્રાણાયામ અને ધ્યાન દ્વારા મન તથા શરીર બંનેને લાભ થાય છે. મન રિલેકસ થાય ત્યારે જ પોઝિટિવ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
આ ક્રિયામાં મંત્રોચ્ચાર પણ એક મહત્વનું માધ્યમ છે જે મનને ભટકતાં અટકાવે છે. ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે જેને આપણે યોગાનુયોગ કહીએ છીએ અથવા કંઇક બનવાનું હોય તેનો આગળથી અંદેશો આવી જાય. આ બધું જ આકર્ષણના નિયમના લીધે થતું હોય છે. સારા વિચારો સારું પરિણામ આપે છે. કોઇએ આપણી સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય છતાંય એને માફ કરી દેશો તો હકારાત્મક ઊર્જા પેદા થશે જે આકર્ષણના નિયમ માટે જરૂરી છે. સારા કર્મોથી આકર્ષણનો નિયમ વધારે સક્રિય બને છે.
Courtsey :
નવી નજરે, બકુલ બક્ષી
Law of Attraction [Gujarati Translation]
|