Buy Saurashtranu Shuratan Gujarati Book by Swami Sachchidanand Online at Low Price સૌરાષ્ટ્રનું શૂરાતન - સ્વામી સચ્ચિદાનંદ સૌરાષ્ટ્ર એવી ભૂમિ છે જ્યાં નરરત્નો નીપજે છે. જે ભૂમિ નરરત્નો પેદા કરે તે મહાન જ હોય. ભૂમિને આપણે માતા માનીએ છીએ અને માતાની કૂખ પૂજાય છે. માતા રૂપરૂપનો અંબાર હોય, ચંદ્ર જેવું મુખ હોય, પણ કૂખ ખાલી હોય અથવા કૂખ કુપાત્રો પેદા કરનારી હોય તો તે પૂજાય નહીં. સૌરાષ્ટ્રની હજારો કૂખોએ હજારો નરરત્નો પેદા કર્યાં છે. કદાચ એટલાં પૂરા ભારતે પેદા નહીં કર્યાં હોય. અતિશયોક્તિ થતી હોય તો વાચક ક્ષમા કરે. ઋષિઓથી માંડીને છેક ગાંધીજી સુધીનો ઇતિહાસ હજારો નરરત્નોથી ઊભરાઈ રહ્યો છે. એવું કોઈ ક્ષેત્ર કે એવો કોઈ વિષય નથી કે જેમાં કોઈ ને કોઈ મહાન નરરત્ન પેદા થયું ન હોય!