Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Dithun Mein
Hasmukh Shah
Author Hasmukh Shah
Publisher Rangdwaar Prakashan
ISBN 9789380125459
No. Of Pages 340
Edition 2013
Format Hardbound
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635147941035420065.jpg 635147941035420065.jpg 635147941035420065.jpg
 

Description

Dithun Mein

 

દીઠું મેં..

-હસમુખ શાહ

હસમુખ શાહ વડાપ્રધાનની ઓફિસ (PMO)માં અગત્યની જવાબદારી સંભાળી રહ્યા હતા. એમણે પોતાના 'દીઠું મેં...’ પુસ્તકમાં આ પ્રસંગ નોંધ્યો છે. આ પુસ્તક સૌ ગુજરાતીઓએ વાંચવા જેવું છે. રઘુવીર ચૌધરીએ આ પુસ્તકનું પ્રકાશન કરીને આપણી સેવા કરી છે. મોરારજીભાઇ કોણ હતા તે સૌ જાણે છે, પરંતુ મોરારજીભાઇ 'શું’ હતા તેની જાણ થાય તેવો આ પ્રસંગ છે. હવે હસમુખભાઇના શબ્દોમાં શું બન્યું તે સાંભળીએ: 'આ કેસોની મૂળ તપાસ સી.બી.આઇ.એ કરેલી. તેથી સી.બી.આઇ.ના ડાયરેક્ટરને બોલાવવામાં આવ્યા અને કેસો બંધ કરવા કહેવામાં આવ્યું.

સી.બી.આઇ.ના ડાયરેક્ટર એક તટસ્થ, નેક અને બાહોશ અધિકારી હતા. વડાપ્રધાનની ખફગી વહોરીને પણ તેમણે એક કલાક સુધી દલીલ કરી કે જે તથ્યો છે તેને આધારે આ કેસો બંધ ન થઇ શકે... આ લાંબી અને સી.બી.આઇ.ના ડાયરેક્ટર માટે કસોટીરૂપ મુલાકાતનો અંત ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાને સી.બી.આઇ.ના ડાયરેક્ટરની નિષ્પક્ષતા અને હિંમતને અનુમોદન આપ્યું અને કાયદો કાયદાનું કામ કરે તેવો નિર્ણય આપ્યો. આનાથી પક્ષના કેટલાક સિનિયર પ્રધાનો ખૂબ નારાજ થયેલા. મોરારજીભાઇએ જ્યારે વડાપ્રધાનપદ છોડયું ત્યાર પછી આ કેસ બંધ કરી દેવામાં આવ્યા હતા.’ (પાન ૧૮૩-૧૮૪).

નીતિયુક્ત મોરારજીભાઇને મળેલા નીતિયુક્ત સી.બી.આઇ. ડાયરેક્ટર કોણ? એ ડાયરેક્ટર હતા મિ. લોબો. જે સી.બી.આઇ.ને સુપ્રીમ ર્કોટ 'પિંજરાનો પોપટ’ (Caged parrot) કહે તેવા સમયે મિ. લોબો જેવા ટટ્ટાર અધિકારી ક્યાંથી લાવવા? વળી એવા અધિકારીની સાચી વાત માન્ય રાખે એવા ટટ્ટાર વડાપ્રધાન પણ ક્યાંથી લાવવા? ક્યાં છે ધર્મ? ક્યાં છે નીતિ? ક્યાં છે વિદુર?'

વિચારોના વૃંદાવનમાં ગુણવંત શાહ
Blog:http://gunvantshah.wordpress.com

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00