Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Karma No Siddhant (Theory of Karma in Gujarati)
Hirabhai Thakkar
Author Hirabhai Thakkar
Publisher Kusum Prakashan
ISBN
No. Of Pages 90
Edition 2022
Format Paperback
Language Gujarati
Price रु 65.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1320_karmano_siddhnt.Jpeg 1320_karmano_siddhnt.Jpeg 1320_karmano_siddhnt.Jpeg
 

Description

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર

 

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રચિત 'શ્રીમદ ભગવદ્ ગીતા'માં દર્શાવેલ કર્મનો સિધ્ધાંત આજનાં સમયમાં પણ એટલો જ સુસંગત છે. મનુષ્યે પોતાનાં સારા નરસાં કર્મોના ફળ અહિંને અહિં ભોગવવા પડતા હોય છે.
 

એવા આ કુદરતનાં કાનૂન જેવા નિયમો આપણી જ જીવનધારાને જીવનનાં સ્વરૃપને, એક ચોક્કસ ઘાટ ઘડવામાં એક સમર્થ પરિબળ ગણાયું છે. આપણાં આ જીવાતા જીવનની ઘટતી ઘટનાઓ પ્રારબ્ધ અનુસાર નિર્ધારિત થતી હોય છે. આ રીતનાં નિયતિનાં ફરતા ચક્રને મહાસમર્થ, શક્તિશાળી પુરુષ પણ બદલાવી શકતા નથી.
 

એવા આ અસરકારક કર્મોનાં નિયમ તથા તેના અનુસાર નિર્ધારિત ફળને અવગણી શકે કે બદલી શકે એવું સામર્થ્ય તો માત્ર નિયંતા એટલે કે પરમેશ્વરનાં હાથમાં છે. આ જગતને ચલાવનાર પરમેશ્વર ક્યારેય નિયતિને આધીન રહેતા નથી. ઉલ્ટાનું એ નિયતિનાં ઘડનારા ગણાયા છે. તેથી તેઓ જો ઈચ્છે તો નિયતિ એટલે કે નિર્ધારિત પરિણામને પણ બદલી શકે છે.
 

જો કર્મનો સિધ્ધાંત આપણાં જીવને અસર કરનારું મહત્વનું પરિબળ કહેવાતું હોય તો, પરમેશ્વરનું કૃપાતત્વ પણ આ જીવનનું એક મહાન સત્ય છે. કર્મનાં ફળ કરતાં પરમેશ્વરની કૃપા હોવાની સમર્થતા અધિકતર છે, કેમકે કર્મોનાં પરિણામો તો વિધિનાં લેખો અનુસાર લખાય છે, જ્યારે પરમાત્માની કૃપા તો તેમની પ્રસન્નતામાંથી પ્રગટતી હોય છે.
 

એટલે તો કહેવાયું છે ને પરમાત્માની કૃપા વિના કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. ઈચ્છિત પરિણામ મેળવવા માટે પરમેશ્વરની કૃપા હોવાનું આવશ્યક છે. જે લોકો પર પરમાત્માની કૃપા ઉતરી હોય છે. તેઓ સૌમાં ભાગ્યશાળી ગણાયા છે. કોઈ પણ નવિન કાર્ય શરૃ કરતાં પહેલાં પરમાત્માની કૃપાની કામના કરવી જરૃરી છે. કેમકે આપણા કર્મોના ફળ તો નિયતિને આધિન છે.
 

પણ કાર્યનું મનોવાંચ્છિત પરિણામ તો પરમેશ્વરને આધિન છે. માટે જ મનુષ્યો પરની પરમાત્માની કૃપા કોઈપણ કાર્ય કરવા કે ન કરવા કે અન્યથા કરાવવા માટે પણ તે ખૂબ સમર્થ છે, જેને કારણે કર્મનાં નિયમ તથા નિયતિ પણ બદલાઈ શકે છે. જો કે શ્રેષ્ઠ નિર્ધાર સાથે કરેલાં કાર્યોનું પરિણામ હંમેશાં ઉત્તમ મળે છે. એ વાત આજે જેટલી પ્રસ્તુત છે, એટલી આવતી કાલે પણ રહેવાની.
 

Courtsey: Gujarat Samachar

 

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00