Garbhsanskar (Icchit Santan Prapti Matenu Prachin Vigyan) by Suresh-Alka Prajapati
ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ માટેનું પ્રાચીન વિજ્ઞાન: ગર્ભસંસ્કાર
શું તમે આ રહસ્ય જાણો છો?
*પ્રહલાદ , ધ્રુવ, નરસિંહ, તુકારામ, એકનાથ, જેવા મહાન ભક્તો કેવી રીતે બન્યા? તેની પાછળ એક રહસ્ય
*સીતા, મંદોદરી, દ્રોપદી, સાવિત્રી, તારા જેવી સતીશિરોમણી બનવા પાછળ પણ એક રહસ્ય છે.
દુનિયામાં જન્મનાર પ્રત્યેક અદ્દભુત, દિવ્ય અને આશ્ચર્યકારી વ્યક્તિત્વના પાછળ એક રહસ્ય છે.
આં પુસ્તકમાં આવા જ એક રહસ્યને ખોલવામાં આવી રહ્યું છે. એ જાણશો તો તમારા ઘરે પણ ઉપર પ્રમાણેના તમને ઈચ્છિત સંતાનો અવતરે
'ગર્ભસંસ્કાર' પુસ્તકમાં ખુબ જ વૈજ્ઞાનિક રીતે આવનાર બાળકના માનસિક, બૌધિક, અને આધ્યાત્મિક વિકાસ માંટેના વ્યવહારુ અને આચરણમાં મૂકી શકાય તેવા પ્રયત્નો સુચવેલા છે.જે આજના સમયમાં ખુબ જ આવશ્યક છે.
' ગર્ભસંસ્કાર ' પુસ્તકમાં ખુબ જ વૈજ્ઞાનિક રીતે આવનાર બાળકના માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટેના વ્યવહારુ અને આચરણમાં મૂકી શકાય તેવા પ્રયત્નો સુચવેલા છે. જે આજના કાળમાં ખુબ જ આવશ્યક છે.
આ સંપૂર્ણ પુસ્તક દરેક યુવાને લગ્ન કરતા પહેલા અવશ્ય વાચવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત વૈજ્ઞાનિક રીતે આપેલી જ છે. પરંતુ આજના કાળમાં સંસ્કારોની આવશ્યક સમજવી અને તેના માટે પ્રમાણિક પ્રયત્ન કરવો,તે ભુલાતું જાય છે.ઈશ્વરે આપણને વિશિષ્ટ હેતુસર આ દુનિયામાં મોકલ્યા હોય, તો એક બુદ્ધિશાળી માનવી ( માનવી એટલે જે પશુ નથી તે. પશુ કરતા વિશિષ્ટ રીતે વિચારી શકે અને આચરણમાં મૂકી શકે, તે જ સાચો મનુષ્ય ) તરીકે આપણે આપણા જીવનમાં આવા સંસ્કારોના સિંચન માટે પ્રયત્ન કરવો જ જોઈએ. જેથી આપણે પ્રભુને ગમે તેવું જીવન બનાવી, પ્રભુનો આપણને આ દુનિયામાં મોકલવાનો હેતુ પૂરો કર્યાનો સંતોષ પ્રાપ્ત કરી શકીએ.
જે પણ વ્યક્તિ આ પુસ્તક વાંચશે, તેને ચોક્કસ પ્રભુને ગમતા થવાનું માર્ગદર્શન મળશે. પોતાનું જીવન સુંદર અને પોતાના બાળકોને ઉત્કૃષ્ટ બનાવવાનું સ્વપ્ન પૂરું થશે, તેવા મને પૂર્ણ વિશ્વાસ છે.
|