Batris Putli Ane Vaital Pachisi
બત્રીસ પૂતળી અને વૈતાલ પચ્ચીસી
બત્રીસ પૂતળીની વાર્તાઓ કોણે નહિ વાંચી હોય ? રાજા વીર વિક્રમને ખભે ચડી બેઠેલા વૈતાલ અને સિંહાસન પર બેસવા જતા રાજા વિક્રમને સિંહાસનમાં કોતરેલી એક પૂતળી રોજ નવી વાર્તા કહે છે...
સુપ્રસિદ્ધ વિક્રમાદિત્ય ભારતમાં સંસ્કૃત અને સ્થાનિક ભાષાઓ એમ બંનેમાં ખૂબ લોકપ્રિય એવું પાત્ર છે. જે પણ ઘટના અથવા સ્થાપત્યની ઐતિહાસિક વિગતો અજાણી હોય તેની સાથે તેનું નામ સગવડતા માટે જોડી દેવામાં આવે છે, અલબત્ત તેની આસપાસ વાર્તાઓનું આખું ચક્ર વિકસ્યું છે. સંસ્કૃતમાં તેમાંની બે સૌથી વધુ જાણીતી વાર્તાઓ છે વેતાલ પંચવીમશાતી અથવા (‘ધ 25 (વાર્તાઓ) ઓફ ધ વેમ્પાયર’- ભૂતની 25 કથાઓ) અને સિંહાસના-દ્વાત્રિમશિકા ("ધ 32 (વાર્તાઓ) ઓફ ધ થ્રોન" - સિંહાસનની 32 કથાઓ).આ બંને કથાઓના વિવિધ સંસ્કરણો સંસ્કૃતમાં અને અન્ય સ્થાનિક ભાષાઓમાં જોવા મળે છે.
વેતાળની વાર્તાઓ એવી પચ્ચીસ વાર્તાઓ છે જેમાં રાજા એક ભૂતને પકડવાનો અને તેને કબજામાં રાખવાનો પ્રયત્ન કરે છે, આ ભૂત એક કોયડો ધરાવતી વાર્તા કહે છે અને રાજા માટે એક પ્રશ્ન મૂકીને તેને પૂરી કરે છે. ખરેખર તો, પહેલાં એક સાધુએ ભૂતને પોતાની પાસે લઈ આવવા માટે રાજાનો સંપર્ક કર્યો હતો, અને તેને કહ્યું હતું કે તેણે એમ એક શબ્દ પણ બોલ્યા વિના કરવું, નહીં તો ભૂત પાછું તેના સ્થાને ઊડીને જશે. હવે રાજા તો જ ચૂપ રહી શકે જો તેને ઉત્તર ખબર ન હોય, એ સિવાય ચૂપ રહે તો તેનું માથું ફાટી જાય. દુર્ભાગ્યે, રાજાને ખબર પડી કે તેને દરેક પ્રશ્નનો જવાબ આવડે છે; અને તેથી છેવટે જયાં સુધી છેલ્લા પ્રશ્ને વિક્રમાદિત્યને મૂંઝવ્યો નહીં ત્યાં સુધી ભૂતને પકડવાનું અને પછી તેના પાછા છટકી જવાનું ચક્ર સતત ચોવીસ વખત ચાલ્યું. આ વાર્તાઓનું એક વૃત્તાન્ત કથા-સરિતસાગરમાં કોતરેલું જોવા મળે છે.
સિંહાસનની વાર્તાઓ વિક્રમાદિત્યના સિંહાસન સાથે જોડાયેલી છે, આ સિંહાસન ખોવાઈ ગયું હતું અને સદીઓ પછી, ધારના પરમાર રાજા, રાજા ભોજ તેને શોધી કાઢે છે. રાજા ભોજ પોતે સુપ્રસિદ્ધ હતો અને વાર્તાઓના આ સંગ્રહમાંની વાર્તાઓ તેના આ સિંહાસન પર બિરાજવાના પ્રયત્નો સાથે સંકળાયેલી છે. આ સિંહાસન 32 મહિલા પૂતળીઓથી શણગારાયેલું હતું, અને આ પૂતળીઓ બોલી શકતી હતી, પૂતળીઓ તેને સિંહાસન પર ચઢવા આહ્વાન આપતી, પણ જો તે તેઓ જે વાર્તા કહે તેમાંના વિક્રમાદિત્ય જેટલું ઉદાર હૃદય ધરાવતો હોય તો જ તે આ સિંહાસન પર ચઢી શકે. આમ એમાં વિક્રમાદિત્યની 32 વાર્તાઓ છે અને દરેક કિસ્સામાં રાજા ભોજ પોતે તેનાથી નિમ્ન છે એમ સ્વીકારે છે. અંતે, તેની નમ્રતાથી પ્રસન્ન થઈને પૂતળીઓ તેને સિંહાસન પર ચઢવા દે છે.
|